આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વાંકાનેર શહેર ના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યા ની નિમણુંક

 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા ના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લા મા સંગઠન નો વિસ્તાર કરવા નુ આયોજન કરવા મા આવી રહ્યુ છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, હસુભાઈ પંડિત, નિર્મિત કક્કડ દ્વારા વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યા ની નિમણુંક કરવા મા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દેવરામ ભાઈ છેલ્લા ઘણા સમય થી જાહેર જીવન સાથે સંકળાયેલા છે તેઓ વાંકાનેર તાલુકા બજરંગ દળ ના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા હતા.

મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સ્થાપના કર્યા બાદ વિવિધ પ્રખંડો માંથી કાર્યકર્તાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મા જોડાઈ રહ્યા છે. ત્યારે આગામી સમય મા મોરબી જીલ્લા ના વિવિધ મથકો મા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નો વિસ્તાર કરવા મા આવશે.

Related posts

Leave a Comment